ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના બોર્ડ ના રિઝલ્ટ માં પી. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલ્સના ટોટલ 58 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી પી. પી. સવાણી સ્કુલ્સનું નામ રોશન કરેલ છે.

જેમાંથી નીચેના 4 વિદ્યાર્થીઓએ અસામાન્ય સ્થિતિમાં પર મહેનત કરી ને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન હેઠળ સારું એવું પરિણામ હાસલ કરેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

  1. જોષી કરન મુકેશભાઈ –
    ગ્રેડ : A1, માર્ક્સ – 478/500, 298/300, PR : 99.99
    Maths: 100/100, Chemistry : 100/100, Physics : 98/100

“અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.” ઉક્તિને સાર્થક કરતુ પરિણામ અને નામ એટલે પી.પી. સવાણી વિદ્યાભવન હીરાબાગ- વિજ્ઞાનપ્રવાહ નો વિદ્યાર્થી જોશી કરણ મુકેશભાઈ. ધોરણ-૧૧ માં અભ્યાસ કરતી વખતે તેમની માતાનું કેન્સરના કારણે દુખદ અવસાન થયેલું તેમ છતાં નિરાશ કે હતાશ થયા વગર પોતાની નિરંતર મહેનતથી ધોરણ-૧૨ માં ઉતમોતમ પરિણામથી સુરતમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

  1. લાડુમોર જલ્પા જગદીશભાઈ
    ગ્રેડ : A1, PR : 99.87

કામરેજ વિસ્તારમાં પોતાના જ એપાર્ટમેન્ટ ની બહાર નાસ્તાની લારી ચલાવી ગુજરાન ચલાવતા લાડુમોર જગદીશભાઇની દિકરી જલ્પા એ જાહેર થયેલા ધોરણ-૧૨ સાયન્સ ના પરિણામ માં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી સાબિત કર્યું છે કે સખત મહેનત જ પારસમણી છે. પોતાના મસા માસી ને ઘરે રહી અને તેઓના મોરલ સપોર્ટથી આ સિદ્ધિ હાંસલ કરી છે. આ તબ્બકે પી. પી. સવાણી શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.

  1. વાળા અજય વિનુભાઈ
    ગ્રેડ : A1, PR : 99.74

“એક માતા સો શિક્ષક સમાન છે.” કહેવત ને સાચી પાડનાર એટલે પી.પી. સવાણી વિદ્યાભવન – હીરાબાગ માં ધોરણ- ૧૨ ની બોર્ડ ની પરીક્ષા માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વાળા અજય વિનુભાઈ. પિતાની ગેરહાજરીમાં, અજયે પોતાની માતાના પ્રેમ અને હૂફ મેળવી માતાનું સ્વપ્ન સિદ્ધ કર્યું છે. તેમની આ સિદ્ધિ સમાજ માટે પ્રેરણાદાયી છે. આ તબ્બકે પી. પી. સવાણી શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.

પી.પી. સવાણી વિદ્યાભવન – હીરાબાગ માં ધોરણ- ૧૨ ની બોર્ડ ની પરીક્ષા માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વાણીયા સુહાની ના પિતા છૂટક મજુરી કામ કરે છે. ચાર દિકરીના પિતા જેમાંથી એક દિકરી મુકબધિર છે. તેઓનું એક જ સ્વપ્ન કે દિકરીઓ પગભર થવી જોઈએ તેથી અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સખત મહેનતને મંત્ર બનાવી સુહાની એ પિતાના સ્વપ્ન ને સાકાર કરી બતાવ્યું છે. સુહાની અને તેનો પરિવાર સમાજ માટે એક પથદર્શક ઉદાહરણ છે. આ તબ્બકે પી. પી. સવાણી શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.

FOLLOW US
  • Related Posts

    નવચેતન અદાણી વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાળ દિવસની સર્જનાત્મક ઉજવણી થઈ

    હજીરા, સુરત તા.૧૫ : નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામના પ્રાથમિક વિભાગમાં બાળ દિવસની ઉજવણી સર્જનાત્મક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. બાળ દિવસ એ નિર્દોષ હાસ્ય, ઉલ્લાસ અને સર્જનાત્મકતાની ઉજવણીનો દિવસ છે.…

    FOLLOW US

    જાણો આ છે અદાણી હજીરા પોર્ટ લિમિટેડની વિશેષતાઓ….

    અદાણી હજીરા પોર્ટ,જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *