દિલ્હી ગેટ પાસે મેટ્રોનાં બેરિકેડને કારણે પિક અવર્સમાં ટ્રાફિકજામ

ભરઉનાળે વાહનચાલકો સેકાવા મજબૂર; ધીમી ગતિએ ચાલતુ કામ ચોમાશે મુશ્કેલી સર્જી શકે!

શહેરના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો પ્રોજેક્ટને કારણે શહેર ભારે મુશ્કેલીમાં મુકાયું છે. મેટ્રોની કામગીરી જ્યારથી શરૂ થઈ છે ત્યારથી વાહનચાલકોની હાલાકીમાં વધારો થયો છે. દિલ્હી ગેટથી રિંગ રોડ તરફ ઉતરતા ફ્લાયઓવર પાસે બેરિકેડ મૂકવામાં આવ્યાં હોવાથી અહીં સવાર-સાંજ ટ્રાફિકજામ સર્જાતો રહે છે. અલબત્ત, અહીં રસ્તો સાંકડો થઈ જતાં ફ્લોટિંગ ટ્રાફિક રહેવાના કારણે આકરી ગરમી વચ્ચે વાહનચાલકોનો સમય વેડફાઈ રહ્યો છે.

અત્યારે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ટ્રાફિક સિગ્નલ ઉપર એક મિનિટ ઉભા રહેવામાં પણ વાહનચાલકો મુશ્કેલી અનુભવે છે, ત્યારે કલાક જેટલો સમય ટ્રાફિકમાં ફસાઈ રહેવાને કારણે ભર ઉનાળામાં વાહનચાલકોની સ્થિતિ ખૂબ જ દયનીય થઈ રહી છે. મેટ્રોની આ કામગીરી ક્યારે પૂર્ણ થશે અને ક્યારે સમસ્યાથી છુટકારો મળશે, તેવું સૌકોઈ વિચારી રહ્યા છે.

FOLLOW US
  • Related Posts

    નવચેતન અદાણી વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાળ દિવસની સર્જનાત્મક ઉજવણી થઈ

    હજીરા, સુરત તા.૧૫ : નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામના પ્રાથમિક વિભાગમાં બાળ દિવસની ઉજવણી સર્જનાત્મક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. બાળ દિવસ એ નિર્દોષ હાસ્ય, ઉલ્લાસ અને સર્જનાત્મકતાની ઉજવણીનો દિવસ છે.…

    FOLLOW US

    જાણો આ છે અદાણી હજીરા પોર્ટ લિમિટેડની વિશેષતાઓ….

    અદાણી હજીરા પોર્ટ,જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *