હેલ્મેટ ગરમીમાં ત્રાસદાયક

આગ ઝરતી ગરમીમાં વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવું મુશ્કેલ, સિટી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો રદ કરવો જોઈએ: પૂર્વ MLA

એપ્રિલ મહિનામાં જ રાજ્યભરના લોકો મે મહિના જેવી ગરમી અનુભવી રહ્યા છે. સતત આગ ઝરતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અસહ્ય ઉકળાટ અને ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. એક તરફ ગરમીમાં ઘરની બહાર નીકળવું લોકોના આરોગ્ય માટે જોખમી છે ત્યારે હેલ્મેટ પહેરીને વાહન ચલાવવું સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થવાની શક્યતા છે. સતત ટ્રાફિક સિગ્નલો ઉપર હેલ્મેટ પહેરીને વાહન ચાલકો ઉભા રહી શકે તેવી સ્થિતિમાં નથી. ત્યારે મુખ્યમંત્રીને હેલ્મેટના કાયદાને લઈને નારાજગી વ્યક્ત કરતો પત્ર પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ લખ્યો છે.

પૂર્વ ધારાસભ્યએ પત્રમાં લખ્યું છે કે પ્રજા માટે સિટી વિસ્તારમાં હેલ્મેટ આરોગ્ય માટે જોખમરૂપ છે કારણ કે બપોરના સમયમાં 40-45 ડીગ્રીમાં શહેરના કોઇપણ ભાગમાં જવું હોય તો 300થી 400 મીટરના સિગ્નલ પાસ કરવા પડે અને આ ગરમીમાં પ્રજા માટે જોખમ છે. કોઇપણ મગજના ડોકટરોનો અભિપ્રાય લો તો કહેશે સિટી વિસ્તારમાં હેલ્મેટ જોખમ છે. પ્રજાની સુરક્ષાની વાતો કરનારા વ્યક્તિ એ.સી. ચેમ્બરમાં બેસીને નિર્ણય લે છે એક વખત જાત અનુભવ કરી આ ગરમીમાં શહેરમાં ફરે તો ખ્યાલ આવે

પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ જણાવ્યું કે પ્રજા માટે હેલ્મેટ, ખાડાઓ, રસ્તાની સાઈડ પર કચરાના ઢગલાઓ અને ગટર સમસ્યારૂપ છે. પ્રજા હેલ્મેટમાં લુટાઈ છે અને ગરમીમાં પણ બીમારીનો ભોગ બનશે. જેથી મારી અપીલ છે કે આપ આ નિર્ણય માટે ફેરવિચાર કરીને સિટી વિસ્તારમાંથી હેલ્મેટમાંથી મુક્તિ આપો. પ્રજા મંદિર જાય ત્યારે, લગ્ન પ્રસંગમાં, શ્રદ્ધાંજલિમાં, સ્કૂલોમાં, ક્યા-ક્યા સાચવે અને ઘણીવાર ગાડીઓ પરથી ચોરાઈ પણ જાય છે. જેથી પ્રજાને પણ મારી અપીલ છે કે આપના વિસ્તારના એમ.પી., ધારાસભ્ય, તેમજ આગેવાનો પણ પત્ર લખીને રજૂઆત કરો. સરકાર આ કાયદા માટે બિલ લાવી અથવા વટહુકમથી રદ કરે એવી મારી અપીલ છે.

FOLLOW US
  • Related Posts

    નવચેતન અદાણી વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાળ દિવસની સર્જનાત્મક ઉજવણી થઈ

    હજીરા, સુરત તા.૧૫ : નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામના પ્રાથમિક વિભાગમાં બાળ દિવસની ઉજવણી સર્જનાત્મક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. બાળ દિવસ એ નિર્દોષ હાસ્ય, ઉલ્લાસ અને સર્જનાત્મકતાની ઉજવણીનો દિવસ છે.…

    FOLLOW US

    જાણો આ છે અદાણી હજીરા પોર્ટ લિમિટેડની વિશેષતાઓ….

    અદાણી હજીરા પોર્ટ,જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *