સિટી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી

વરિયાવમાં સિટીબસ નાળામાં ઉતરી પડી, ડ્રાઈવર-કન્ડક્ટર ભાગી છૂટ્યાફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં યાત્રીઓ સહીસલામત નીચે ઉતરી ગયા સિટી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં દુર્ઘટનાસ્ટેશનથી વરિયાવ જતી સિટીબસ વરિયાવ પાસે રસ્તા પરથી સાઇડમાં નાળામાં ઉતરી જતાં મુસાફરોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. કોઈકે ફાયરબ્રિગેડને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં તમામ પેસેન્જર નીચે ઉતરી ગયા હતા. ઘટના બાદ સિટીબસના ડ્રાઈવર અને કન્ડક્ટર બસ છોડીને ભાગી ગયા હતા.

બસ ગુરુવારે બપોરે વરિયાવ કબ્રસ્તાન પાસે પહોંચી ત્યારે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બસ નાળામાં ઉતરી ગઈ હતી. બસમાં 20 મુસાફરો હતા, જેમણે બૂમાબૂમ કરી દીધી હતી. આ દરમિયાન કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરી દીધી હતી. જોકે ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યાં સુધીમાં તમામ મુસાફરો ઉતરી ગયા હતા. સિટીબસ સાઈડમાં નીચે ઉતરીને અટકી ગઈ હતી, જેથી તમામનો બચાવ થયો હતો અન્યથા બસ થોડી વધુ આગળ ગઈ હોત તો પલટી ગઈ હોત અને મુસાફરોને ગંભીર ઈજા પહોંચી શકી હોત.

FOLLOW US
  • Related Posts

    નવચેતન અદાણી વિદ્યાલયમાં રાષ્ટ્રીય બાળ દિવસની સર્જનાત્મક ઉજવણી થઈ

    હજીરા, સુરત તા.૧૫ : નવચેતન અદાણી વિદ્યાલય, જૂનાગામના પ્રાથમિક વિભાગમાં બાળ દિવસની ઉજવણી સર્જનાત્મક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. બાળ દિવસ એ નિર્દોષ હાસ્ય, ઉલ્લાસ અને સર્જનાત્મકતાની ઉજવણીનો દિવસ છે.…

    FOLLOW US

    જાણો આ છે અદાણી હજીરા પોર્ટ લિમિટેડની વિશેષતાઓ….

    અદાણી હજીરા પોર્ટ,જે સુરત નજીક ખંભાતની ખાડીમાં આવેલું છે, ભારતને યુરોપ, આફ્રિકા, અમેરિકા અને મધ્ય પૂર્વ સાથે જોડતું એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર છે. પોર્ટ પર પેનામેક્સ વેસલ્સ, લિક્વિડ ટેન્કર્સ…

    FOLLOW US

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *